ભારતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે, પરંતુ પાક ફેલ જતા ખોટ જવાને કારણે મોટાભાગના ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. ઓછી વાર્ષિક આવકને કારણે આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી. જો કે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આવા ઘણા પાક અને છોડ છે, જેની ખેતી કરીને ખેડૂતો આર્થિક રીતે મજબૂત બની શકે છે. સાગ આ વૃક્ષોમાંથી એક છે. બજારમાં સાગના લાકડાની ખૂબ માગ છે. આ જ કારણ છે કે ખેડૂતોને તેનો સારો ભાવ મળે છે.
નિષ્ણાતોના મતે જો ખેડૂતો આ વૃક્ષને પોતાના ખેતરમાં વાવે તો થોડા વર્ષોમાં તેમનો નફો કરોડોમાં પહોંચી શકે છે. સાગના ઝાડનું લાકડું ખૂબ જ મજબૂત હોય છે. તેમાંથી બનાવેલું ફર્નિચર વર્ષો સુધી ચાલે છે. ઉધઈને પણ આ લાકડું ખાવાનું પસંદ નથી. તેથી જ ઘરની બારી, વહાણ, બોટ, દરવાજા વગેરેમાં સાગના લાકડાનો ઉપયોગ થાય છે.
વર્ષના કોઈપણ સમયે સાગનું કરો વાવેતર
તમે ભારતમાં ગમે ત્યાં સાગની ખેતી કરી શકો છો. તેને રોપવા માટે શ્રેષ્ઠ મહિના સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે. જો કે તે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે ઉગાડી શકાય છે. નિષ્ણાતોના મતે સાગના છોડ વાવવા માટે 6.50થી 7.50 વચ્ચેની જમીનની pH મૂલ્ય વધુ સારી માનવામાં આવે છે. જો તમે આ જમીનમાં સાગની ખેતી કરશો, તો તમારા વૃક્ષો વધુ સારા અને વહેલા ઉગશે.
જો તમે સાગની ખેતી કરીને તરત જ કરોડપતિ બનવાની આશા રાખતા હોવ તો આવું બિલકુલ નથી. સાગમાંથી નફો મેળવવાની પ્રક્રિયા લાંબી છે. સાગના ઝાડની શરૂઆતના ત્રણથી ચાર વર્ષ સુધી સારી રીતે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો તમે શરૂઆતના સમયમાં તેનું ધ્યાન રાખશો તો આવનારા સમયમાં તમને જે નફો મળશે તે ખૂબ જ વધી જશે.
વૃક્ષ કેટલા વર્ષોમાં તૈયાર થાય છે?
એક વખત સાગનું વૃક્ષ વાવ્યા પછી તમારે ઓછામાં ઓછા 10-12 વર્ષ રાહ જોવી પડશે. આવી સ્થિતિમાં સાગની આસપાસ, તમે એવા પાકનું વાવેતર કરી શકો છો જે ઓછા સમયમાં સારો નફો આપે છે. આ સાથે, સાગની ખેતીનો ખર્ચ તો નીકળશે જ, પરંતુ તમારો નફો પણ વધશે.
કરોડો રૂપિયાનો નફો
નિષ્ણાતોના મતે જો કોઈ ખેડૂત એક એકરમાં સાગના 500 વૃક્ષો વાવે તો 10-12 વર્ષ પછી તે તેને લગભગ એક કરોડ રૂપિયામાં વેચી શકો છે. જો આપણે એક ઝાડની કિંમતની વાત કરીએ તો તે બજારમાં સરળતાથી 30-40 હજાર રૂપિયામાં વેચાય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વૃક્ષની કિંમત પણ વધતી જાય છે. ઘણા એકરમાં વૃક્ષો વાવીને તમે કરોડો રૂપિયાનો નફો કમાઈ શકો છો.
નોંધ: ઉપરોક્ત માહિતી નિષ્ણાંતોના મત અનુસાર છે. જે તે સ્થળ અથવા આબોહવામાં ઉપરોક્ત માહિતી લાગુ ન પણ પડી શકે એટલા માટે અમલ કરતા પહેલા કૃષિ નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.