, પરંપરાગત રોકાણ વિકલ્પો પર ઓછા વળતર અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) તરફ વધતા વલણને કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
છેલ્લા નાણાકીય વર્ષ 2021-22માં, ઇક્વિટી-લિંક્ડ ફંડ્સમાં રૂ. 1.64 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ થયું છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના ડેટામાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. અગાઉ 2020-21માં રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂ. 25,966 કરોડ ઉપાડી લીધા હતા.
રોકાણ વધવાની અપેક્ષા છે
ZFundsના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને સ્થાપક મનીષ કોઠારીએ જણાવ્યું હતું કે, “આગળ જતાં, અમે પ્રવર્તમાન આર્થિક અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ચાલુ રાખવાની અપેક્ષા રાખીએ છીએ. ડેટા અનુસાર, સમગ્ર 2021-22 માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 1,64,399 કરોડનો ચોખ્ખો પ્રવાહ હતો. આમાં ગયા મહિને થયેલા રૂ. 28,464 કરોડના વિક્રમી રોકાણનો પણ સમાવેશ થાય છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અસ્કયામતો આ વર્ષના માર્ચના અંતે મજબૂત પ્રવાહના કારણે 38 ટકા વધીને રૂ. 13.65 લાખ કરોડ થઈ હતી.
રોકાણકારોમાં સકારાત્મક ભાવના
હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “લાંબા ગાળાની વૃદ્ધિનો અંદાજ ચિંતાઓ છતાં મજબૂત રહે છે, જેણે રોકાણકારોના સેન્ટિમેન્ટને સકારાત્મક રાખવા માટે કામ કર્યું છે. વધુમાં, એવી ધારણા છે કે બજાર પ્રસંગોપાત ‘સુધારણા’ છતાં ઉપર તરફ આગળ વધવાનું ચાલુ રાખશે. આવી સ્થિતિમાં જ્યારે બજાર નીચે આવે ત્યારે રોકાણકારો રોકાણ કરવાની તક ગુમાવતા નથી.
SIP એ કામ સરળ બનાવ્યું
એમ્ફીના ચીફ એક્ઝિક્યુટિવ એનએસ વેંકટેશે જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ SIPમાં શિસ્તબદ્ધ રોકાણ દ્વારા તેમના વળતરને મજબૂત બનાવ્યું છે. વધુમાં, ઇક્વિટી-લિંક્ડ ફંડ્સ માટે ફોલિયો અથવા રોકાણકારોના ખાતાની સંખ્યા એપ્રિલ 2021 માં 6.64 મિલિયનથી વધીને માર્ચ 2022 માં 86 મિલિયન થઈ ગઈ છે. આમ, ફોલિયોની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે. તે રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ અસ્કયામતો પ્રત્યેના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.