હિમાચલ પ્રદેશ અકસ્માત: ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર પંડોહ ડેમ પાસે HRTC બસને અકસ્માત નડ્યો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસના ડ્રાઈવરે કોઈ કારણસર વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને બસ સીધી પહાડી સાથે અથડાઈ.
આ અકસ્માતમાં ડ્રાઇવરનું મોત થયું છે, જ્યારે 34 લોકો ઘાયલ થયા છે. આ બસ મનાલીથી શિમલા જઈ રહી હતી અને તેમાં ઘણા મુસાફરો હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ પંડોહ પોલીસ ચોકીની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને મદદ કરી.એસપી મંડી શાલિની અગ્નિહોત્રી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મનાલીથી શિમલા જઈ રહેલી આ બસ પંડોહની ટોચ પર સિઝર ટર્ન પાસે કાબૂ બહાર નીકળી ગઈ અને પહાડ સાથે અથડાઈ. અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. તેમાંથી મોટા ભાગનાને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ બસના ડ્રાઈવરનું મોત થયું હતું. અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને સારવાર માટે મંડીની ઝોનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને સ્થાનિક રહીશોએ પણ ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. ઘણા ઘાયલોને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.