વિશ્વકર્મા યોજના: વિશ્વકર્મા જયંતી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ’PM વિશ્વકર્મા યોજના’ યોજના શરૂ કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023-24ના બજેટ સત્રમાં પીએમ વિશ્વકર્મા યોજના 2023 રજૂ કરવામાં આવી હતી. તેમજ પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર પણ જાહેરાત કરી હતી.
શું છે વિશ્વકર્મા યોજનાઃ PM વિશ્વકર્મા યોજના શું છે
પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, લોકોને 5 ટકાના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકીટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન દરરોજ 500 રૂપિયા આપવામાં આવશે.
કેવી રીતે નોંધણી કરવી?
આ યોજના માટે, બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને કોમન સર્વિસ સેન્ટર (CSC) પરથી વિશ્વકર્માનું મફત નોંધણી કરવામાં આવશે. આ યોજનાના લાભાર્થીઓને સરકાર તરફથી પ્રમાણપત્ર અને ઓળખપત્ર પણ મળશે.
આ દસ્તાવેજોની જરૂર પડશે
આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, બિઝનેસ સર્ટિફિકેટ, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબરની વિગતો, આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો) જેવા તમામ દસ્તાવેજોની જરૂર પડશે.