fbpx
Monday, October 7, 2024

શાહરૂખ ખાન મા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો, માથું નમાવ્યું

બોલિવૂડ ફિલ્મોના જાણીતા અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની રિલીઝને આડે ઓછો સમય બાકી છે. ફિલ્મ સ્ક્રીન પર આવે તે પહેલા, શાહરૂખ ખાન મા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા ગયો હતો.

શાહરૂખ ખાને વૈષ્ણો દેવીના દરબારમાં જઈને પોતાની ફિલ્મ ‘જવાન’ની સફળતા માટે પ્રાર્થના કરી હતી. તેનો એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં શાહરૂખ ખાન ચહેરો ઢાંકીને કડક સુરક્ષા વચ્ચે ચાલતો જોવા મળ્યો હતો. શાહરૂખે સફેદ ટી-શર્ટ, ડેનિમ, સ્કાય બ્લુ જેકેટ અને ફેસ માસ્ક પહેર્યો છે. જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન એટલી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં શાહરૂખ ખાનની જોડી નયનતારા સાથે બની છે. જવાનનું ટ્રેલર આવવાનું બાકી છે. પરંતુ તેના ગીતો અને પ્રિવ્યુ આવી ગયા છે. શાહરૂખ ખાનના શાનદાર પ્રદર્શને ચાહકોનું દિલ જીતી લીધું છે.

2023ની શરૂઆત શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણથી ધમાકેદાર થઈ હતી. શાહરૂખ ખાનની કમબેક ફિલ્મે જોરદાર કમાણી કરી હતી. હવે વર્ષના અંત પહેલા શાહરૂખ તેની બીજી ફિલ્મ સાથે તૈયાર છે. શાહરૂખ ખાનનો ડબલ રોલ હશે. તેમાં શાહરૂખ ખાનના ઘણા લુક્સ જોવા મળશે. વિજય સેતુપતિ, પ્રિયમણી, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મનું ગીત ‘નૉટ રમૈયા વસ્તાવૈયા’ રિલીઝ થયું છે. આમાં નયનતારા સાથે શાહરૂખની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles