ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ તેની તોફાની બેટિંગ માટે જાણીતો હતો.
તેની સામે આવતાની સાથે જ બોલરોના કપાળ પર કરચલીઓ પડી જતી હતી. આ જમણા હાથનો બેટ્સમેન ટેસ્ટમાં તેની તોફાની બેટિંગ માટે પણ પ્રખ્યાત હતો. જો કે સેહવાગ માત્ર પોતાની બેટિંગથી જ ટીમ માટે યોગદાન આપતો ન હતો, પરંતુ જરૂર પડ્યે તે બોલિંગ પણ કરતો હતો. પોતાની ઓફ સ્પિન વડે તેણે ઘણી વખત ભારતને સફળતા અપાવી છે. હવે સેહવાગે વિરાટ કોહલીના કારણે બોલિંગમાં એક માઈલસ્ટોન ચૂકી જવાનો કિસ્સો કહ્યો છે. સેહવાગે ભારત માટે 251 વનડે રમી છે જેમાં તેણે 96 વિકેટ લીધી છે. તે જ સમયે, આ ખેલાડીએ ભારત માટે ટેસ્ટમાં 104 મેચ રમી છે અને 40 વિકેટ લીધી છે. જો કે તે T20માં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો.
મોટા બેટ્સમેન આઉટ થયા
સેહવાગે કહ્યું કે તેણે પોતાની બોલિંગથી ઘણા મોટા બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. સેહવાગે BeerBiceps નામની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે તેણે પોતાના બોલથી ઘણા મોટા બેટ્સમેનોને આઉટ કર્યા છે. સેહવાગે કહ્યું કે તેણે રિકી પોન્ટિંગ, માઈકલ હસી, કુમાર સંગાકારા, મહેલા જયવર્દને, તિલકરત્ને દિલશાન અને બ્રાયન લારા જેવા બેટ્સમેનોને આઉટ કર્યા છે. તેણે કહ્યું કે એક વખત તેણે એડમ ગિલક્રિસ્ટને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો હતો. સેહવાગે વિરાટ કોહલીની એક ભૂલને યાદ કરતા કહ્યું કે વિરાટ કોહલીએ એક વખત મેચમાં તેના બોલ પર મિડ-વિકેટ પર ખૂબ જ આસાન કેચ છોડ્યો હતો અને આનાથી તે ખૂબ ગુસ્સે થયો હતો કારણ કે તે રેકોર્ડ ચૂકી ગયો હતો.
કોહલી પાસેથી અપેક્ષા નહોતી
સેહવાગે પણ કોહલીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેણે ક્યારેય કોહલી પાસેથી આટલી ઊંચાઈ સુધી પહોંચવાની અપેક્ષા નહોતી રાખી.સેહવાગે કહ્યું કે કોહલીની પ્રતિભા પર કોઈને શંકા નથી પરંતુ તેણે ક્યારેય અપેક્ષા નહોતી રાખી કે કોહલી આજે જ્યાં છે ત્યાં પહોંચશે.ત્યાં પહોંચશે. સેહવાગે કહ્યું કે તેને નથી લાગતું કે કોહલી 70-75 સદી ફટકારશે અથવા 25,0000 રન સુધી પહોંચી જશે.