ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ફુદીનો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
પાચનતંત્ર રહેશે સ્વસ્થઃ
ફુદીનાનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેનું સેવન કરવાથી પાચન શક્તિ વધે છે. તેમાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખે છે. તેમાં મેન્થોલ હોય છે જે પેટમાં પાણીમાં ઠંડક લાવવાનું કામ કરે છે. ફુદીનાનું સેવન ગેસ અને ઉલ્ટી જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
શ્વાસની દુર્ગંધથી રાહત:
શ્વાસની દુર્ગંધથી રાહત મેળવવા માટે ફુદીનાનો ઉપયોગ કરો. ઉનાળામાં ઘણી વખત પાણીની અછતને કારણે મોઢામાં દુર્ગંધ આવવાની સમસ્યા રહે છે અને આવી સ્થિતિમાં જો ફુદીનાના પાન ચાવવામાં આવે તો આ દુર્ગંધ સરળતાથી દૂર થઈ જાય છે.