fbpx
Monday, October 7, 2024

આ બે ખેલાડી બગાડશે હાર્દિક પંડ્યાના સપના, T20માં બની શકે છે ભારતના કેપ્ટન

હાલમાં જ યોજાયેલા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ રોહિત શર્માની કેપ્ટનશિપ પર અનેક સવાલો ઉભા થયા છે. વર્લ્ડ કપ પછી તરત જ, ભારતે ન્યુઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી રમી હતી.

આ શ્રેણી દરમિયાન ટીમના ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો.

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ટી-20 શ્રેણીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું હતું. આ પછી ચાહકોએ માંગ ઉઠાવી કે હાર્દિકને ટી-20 ટીમની કપ્તાની સોંપવી જોઈએ. પરંતુ એક ખરાબ સિઝનના આધારે બીસીસીઆઈ કોઈ મોટો નિર્ણય લેશે નહીં. પરંતુ હાર્દિક પંડ્યાએ ટી20માં જે રીતે કેપ્ટનશીપ કરી છે તે જોતા આગામી સમયમાં તેને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયામાં હજુ પણ બે એવા ખેલાડી છે જે હાર્દિકનું સપનું બગાડી શકે છે.

કેએલ રાહુલ

કેએલ રાહુલ એવો પહેલો ખેલાડી છે જે આવનારા સમયમાં ટીમ ઈન્ડિયાનો ટી20 કેપ્ટન બની શકે છે. કેએલ રાહુલે આઈપીએલમાં કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કર્યું છે. તેણે ઘણી વખત ભારતની કેપ્ટનશિપ પણ કરી છે. હાલમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈ એક વખત કેએલના નામ પર પણ વિચાર કરી શકે છે. જો કે કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ છે, તેમ છતાં તેની પાસે આગામી સમયમાં પોતાને કેપ્ટન તરીકે રજૂ કરવાની તક છે. આઈપીએલમાં, કેએલ રાહુલે 42 મેચોમાં કેપ્ટનશીપ કરી છે જેમાંથી તેણે 20 જીતી છે અને 20 હાર્યા છે. ઉપરાંત, એક કેપ્ટન તરીકે, કેએલ તેની જવાબદારી સારી રીતે નિભાવે છે અને ટીમ માટે ઘણો સ્કોર પણ કરે છે.

સંજુ સેમસન

સંજુ સેમસનનું નામ જોઈને તમને આશ્ચર્ય થશે, પરંતુ સંજુ સેમસન હાર્દિકના સપના બગાડી શકે છે. સંજુ સેમસન છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય છે. સંજુ હજુ નાનો છે અને લાંબા સમય સુધી આ જવાબદારી નિભાવી શકે છે. સંજુ IPLમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન છે. આ વર્ષની IPLમાં રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનની કેપ્ટન્સીમાં IPLની ફાઈનલ રમી હતી. સંજુ ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવી શકશે નહીં. પરંતુ રિષભ પંતનું સતત આઉટ ઓફ ફોર્મ સંજુ માટે ટીમ ઈન્ડિયાનો રસ્તો ખોલી શકે છે. સંજુએ આઈપીએલમાં 31 મેચમાં કેપ્ટનશિપ કરી છે જેમાં તેણે 15 મેચ જીતી છે. તે જ સમયે, સંજુને ઘણી વખત ઈન્ડિયા Aની કેપ્ટનશિપ કરવાની તક મળી છે.
સંજુ સેમસન

2024 માટે નવા કેપ્ટનની શોધમાં!

ભારતીય ટીમે વર્ષ 2024માં આગામી ટી20 વર્લ્ડ કપ યુએસ/વેસ્ટ ઈન્ડિઝમાં રમવાનો છે. ટીમ મેનેજમેન્ટ આ વર્લ્ડ કપ માટે પહેલાથી જ પ્લાનિંગ કરી રહ્યું છે. એવી આશા છે કે રોહિત 2024 વર્લ્ડ કપ પહેલા T20માંથી નિવૃત્તિ લેશે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા સિવાય ભારત પોતાના નવા કેપ્ટનની શોધમાં આ ખેલાડીઓને પણ અજમાવી શકે છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles