fbpx
Tuesday, July 9, 2024

NIA દ્વારા મોટી કાર્યવાહી, લશ્કર સાથે જોડાણના આરોપમાં શિમલા SPની ધરપકડ

ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ નેટવર્ક કેસમાં IPS ઓફિસર અરવિંદ દિગ્વિજય નેગીની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ એજન્સીને શિમલામાં પોસ્ટિંગ દરમિયાન એસપીની ભૂમિકા શંકાસ્પદ લાગી હતી.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શિમલાના એસપી અરવિંદ દિગ્વિજય નેગીની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાણના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસ અધિકારી પર ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. આ કેસમાં SP ઉપરાંત NIAએ અન્ય 5 લોકોની પણ ધરપકડ કરી છે.

NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય પોલીસ સેવા (IPS) ની 2011 બેચમાં પ્રમોટ થયેલા નેગીની NIA દ્વારા નોંધાયેલા કેસના સંબંધમાં ગયા વર્ષે 6 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે

NIA 6 નવેમ્બર 2021ના રોજ નોંધાયેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ નેટવર્ક કેસની તપાસ કરી રહી છે. જેમાં લશ્કરના આતંકીઓને સ્થાનિક સમર્થન આપવાના મામલામાં તપાસ ચાલી રહી છે. આ આતંકવાદીઓને ભારતમાં ભયાનક ઘટનાઓને અંજામ આપવા માટે મદદ આપવામાં આવી હતી. આ કેસમાં એજન્સીએ અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે.

રશિયા-યુક્રેનના તણાવ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, ત્રણ સ્પેશિયલ ફ્લાઈટ ઉડાન ભરશે

તપાસ દરમિયાન એજન્સીને આરોપી નેગીની ભૂમિકા શંકાસ્પદ લાગી હતી. પ્રવક્તાએ કહ્યું કે NIAથી પરત ફર્યા બાદ, શિમલામાં તૈનાત નેગીની ભૂમિકાની તપાસ કરવામાં આવી હતી અને તેના ઘરોની તપાસ કરવામાં આવી હતી. આ પછી શિમલાના એસપી અરવિંદ દિગ્વિજય નેગીની ઓળખ સાબિત થઈ હતી. આ અધિકારી પર ગુપ્ત દસ્તાવેજો લીક કરવાનો પણ આરોપ છે. નેગીએ આ દસ્તાવેજો ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે શેર કર્યા હતા, જેઓ લશ્કર સાથે કનેક્શન ધરાવે છે.

તપાસનો વ્યાપ વધી શકે છે

એક વરિષ્ઠ પોલીસ અધિકારીની ધરપકડ સાથે હવે આ કેસની તપાસનો વ્યાપ વધુ વધી ગયો છે. આ ષડયંત્રમાં અન્ય ઘણા લોકો સામેલ હોવાની આશંકા છે. NIA હાલ આ કેસની તપાસમાં લાગેલી છે અને આવનારા સમયમાં ઘણા લોકો પર પણ સકંજો કસવામાં આવી શકે છે.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles